અથાણાંનાં પાલવે કમનસીબી ઢાંકી દીધી નસીબી ઢાંકે જ ઢંકાત તો દુર્ગા સુરજ ને જ બાળી નાખત. મને લાગે છે તમને ક્યારેક મારા ઉપર બોવ ખીજ આવતી હ્ય્શે.... કે આ મારો હાળો દુનિયા જોઈ નથી ને ધડ દઈને વાત ફેરવી નાખે.... ઢોળાઈ જવાનો મને શોખ છે જો મને ભેગું કરી લે કોઈ એટલે જ ભેગું કરવાવાળો/કરવાવાળી બનવું, બધા હસ્તે મોઢે જીવવા દયે કારણકે કે, જે ભેગું કરે, એનું કૈંક ઢોળાય જ નઈ, જે ઢોળાય ઈ બીજાનું અને રહી જાય એ પોતાનું.... અને આમેય તમે માર્ક કરજો, પોતાનું ખરેખરું તો ઢોળાતું જ નથી... બીજાનું આપેલું જ ઢોળાય છે. ખોટી જગ્યા એ નિસ્વાર્થ અને સાચી જગ્યા એ સ્વાર્થી બની ગયાનો મને શ્રાપ છે. એ મારા નાથ, મુજને સ્વાર્થી પણ તારો બનાવ ને નિશ્વાર્થ પણ તારો બનાવ... કાશ રાજકોટની ચટણી દુનિયાદારીના ભજીયા હારે ભળતી હોત... આસાની થી ગળે તો ઉતરત મને ભાવે છે એવું હવે પૂછો નહીં... જે મળે એ લઇ લેવાનો આગ્રહ મેં રાખ્યો છે. છાની છુપે ઓકી નાખવાનો આગ્રહ મેં પાળ્યો છે. રાજકોટની રાજ સાહિબી કોટ સુધી, ને રંગ પ્રાણ સુધી... તે જાય જ ને... ચટણી વિદેશમાં, ન્યાય પચાવું તો પડે જ છે ને... મારી હાલત શ્રી શાહ્બુધ્ધીન રાઠોડ સાહેબના ભત્રીજા જેવી થઇ ગઈ ...